દ્રષ્ટા – સોનિયા ઠક્કર
ઈન્દ્રપ્રસ્થનો અંધકાર વધુ ને વધુ ઘેરો થઈ રહ્યો હતો. થોડી વાર પહેલા જોયેલું ભવિષ્ય તેને હચમચાવી ગયું.
કદાચ કંઈક ભૂલ થતી હોય એમ સમજી તે ફરી એ જ ઘટના જોવા મથી રહ્યો.
દર્પણનું પ્રતિબિંબ તેને કહી રહ્યું હતું, ‘તું તારા પરિવારનું સુખ ઇચ્છે છે, પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાતરી છે ?’
યાજ્ઞસેનીએ ઊંઘમાં પડખું બદલ્યું.