સર્જક મુજબ સરલા સુતરિયા
5 posts
ચારધામ યાત્રાએથી આવીને મહંતજી સીધા જ ગોવિંદના કમરામાં ગયા ત્યારે સાંજ ઢળવા આવી હતી. ગોવિંદ ત્યાં હતો નહીં પણ કમરામાં કોઈ અલૌકિક વાતાવરણ રચાયું હતું. દિવ્ય સુગંધીથી કમરો મહેંક મહેંક થઈ રહ્યો હતો. ગોવિંદ રોજ સવારે કમરાના ઉંબર પર પારિજાતકના ફુલોનો સાથિયો કરતો, જે સાંજ પડવા આવી તોયે એકદમ તાજો જ લાગતો હતો. અહો આશ્ચર્યમ્! “આ કમરામાં કશુંક બન્યું છે.” મહંતજી બબડ્યા. કશીક દિવ્ય અનુભૂતિ એમને થઈ રહી.
સરોગસી – સરલા સુતરિયા અગાશીએ ઊભીને સંધ્યાના રંગોમાં આશકાની સૂરત નિહાળી રહેલા પ્રિયંકનું મન અજબ વિષાદમાં અટવાયું હતું. આશકાને એણે ખૂબ સમજાવેલી પણ આશકા એકની બે ન થઈ. કારમી ગરીબાઈ જોઈ ચૂકેલી આશકા આ મોકો છોડવા નહોતી ઇચ્છતી. પૂરા પાંચ લાખ રૂપિયા મળવાના હતા એને ને વર્ષોવર્ષ દીકરીના અભ્યાસની ફી […]