સર્જક મુજબ ભૂમિ પંડ્યા
2 posts
કોઈ પણ.વ્યક્તિ આસનીથી લખી શકે. તમે પોતાની ડાયરીમાં નોંધ કરી શકો. તમારા પ્રિય પાત્ર માટે કે ખાસ મુદ્દાઓ પર લખી શકો. જે લખો છો એમાં ચોકસાઈ હોવી જ જોઈએ એ જરૂરી નથી પણ લખવું અને નોંધ કરવી જરૂરી છે. તમારો ડર અને આળસ ને કાબુમાં રાખો.જે પરિસ્થિતિમાં છો એજ પરિસ્થિતિથી શરૂઆત કરો.નવોદિત હોવું કે થોડું અનુભવી પણ મહત્વ છે. લખવાનું શરૂ કરવું અને રાખવું. કોણ કેવું લખે છે ક્યાં પહોંચી ગયું એ જરૂરી નથી. તમે તમારી મહેનતથી આગળ વધો આગળ જતાં વધુ સારા થશો એ તમને ગમશે જ એ આશા સાથે લખો. આપણે માત્ર વિચારને સાંભળીને વિકસાવી અને મઠારી શકીએ, લોકો સુધી મોકલી શકીએ છીએ એ જ બસ છે. ક્યારેય એવું ન વિચારો કે હું સંપૂર્ણ નથી. સંપૂર્ણ થવાનો રસ્તો પણ છે જ અને એ છે અભ્યાસ. દરેકનો એક સંઘર્ષ હોય છે અને સંઘર્ષનું દરેક પગલું આશ્ચર્યજનક જ હોય છે.