દિવાળીનો તહેવાર એટલે ઝગમગાટનો ઉત્સવ. ચારે તરફ ખુશી અને આનંદનો માહોલ. ઘર અને તેની આસપાસનું વાતાવરણ સ્વચ્છ કરવાનો અને શણગારવાનો અવસર. દિવાળીનાં તહેવારને અનુલક્ષીને હું ઘરની સફાઈ કરી રહી હતી. ગોઠવી રાખેલા કાર્યક્રમ અનુસાર ઘરની તમામ વસ્તુઓની વારાફરતી સફાઈ કરી રહી હતી. ત્યાં જ મનમાં એક વિચાર ઝબકયો કે હું ઘરની તો તમામ વસ્તુઓની સાફ સફાઈ કરી રહી છું. તો વળી દરેક સ્થુળ વસ્તુઓને ધોઈને, લૂછીને આવશ્યકતા અનુસાર સાફ પણ કરી રહી છું. પણ મેં ક્યારેય મનની સફાઈ વિષે વિચાર્યું છે ખરું? તનની સફાઈ તો આપણે સ્નાન દ્વારા દરરોજ કરીએ જ છીએ. પણ મનનું શું? મન – કે જે આપણે હંમેશાં માર્ગદર્શન આપતું રહે છે. જે આપણાં માટે સતત વિચારો કરતું રહે છે. જો એનું સાંભળીએ તો ક્યારેય આપણે ગેરમાર્ગે દોરતું નથી. કોઈ બીજું સાથ આપે કે ન આપે પરંતુ, મન આપણે ક્યારેય એકલાં કે અધવચ્ચે છોડી દેતું નથી. આવાં મન માટે મેં શું કર્યું છે અથવા હું તેનાં માટે શું કરી શકું? ને હું વિચારે ચડી ગઈ.
સર્જક મુજબ ભગવતી પંચમતીયા
2 posts
વર્ષોથી બંધ બારી ખૂલવાનો અવાજ સાંભળીને એ જાગી ગઈ. વર્ષોથી વિદેશ ચાલ્યા ગયેલાં સાવકા દીકરા પ્રથમેશનું મોં જોવાની આસક્તિએ તેને અહીં જકડી રાખી હતી. જેવી એ હવેલીમાં પ્રવેશી કે દીકરા અને દલાલની વાતચીત કાને પડી. “આ હવેલી કાઢી નાખવી છે. સાંભળ્યું છે અહીં એનો આત્મા ભટકે છે, પણ હું આજે જ હવન કરાવી એની મુક્તિ કરાવી દઈશ. મર્યા પછી પણ એને શાંતિ નથી એટલે જ મારે અહીં ધક્કો ખાવો પડ્યો.