કોઈ પણ.વ્યક્તિ આસનીથી લખી શકે. તમે પોતાની ડાયરીમાં નોંધ કરી શકો. તમારા પ્રિય પાત્ર માટે કે ખાસ મુદ્દાઓ પર લખી શકો. જે લખો છો એમાં ચોકસાઈ હોવી જ જોઈએ એ જરૂરી નથી પણ લખવું અને નોંધ કરવી જરૂરી છે. તમારો ડર અને આળસ ને કાબુમાં રાખો.જે પરિસ્થિતિમાં છો એજ પરિસ્થિતિથી શરૂઆત કરો.નવોદિત હોવું કે થોડું અનુભવી પણ મહત્વ છે. લખવાનું શરૂ કરવું અને રાખવું. કોણ કેવું લખે છે ક્યાં પહોંચી ગયું એ જરૂરી નથી. તમે તમારી મહેનતથી આગળ વધો આગળ જતાં વધુ સારા થશો એ તમને ગમશે જ એ આશા સાથે લખો. આપણે માત્ર વિચારને સાંભળીને વિકસાવી અને મઠારી શકીએ, લોકો સુધી મોકલી શકીએ છીએ એ જ બસ છે. ક્યારેય એવું ન વિચારો કે હું સંપૂર્ણ નથી. સંપૂર્ણ થવાનો રસ્તો પણ છે જ અને એ છે અભ્યાસ. દરેકનો એક સંઘર્ષ હોય છે અને સંઘર્ષનું દરેક પગલું આશ્ચર્યજનક જ હોય છે.
માઇક્રોફિક્શન પ્રકાર મુજબ અતિથિલેખ
મારી દ્રષ્ટિએ એક વાર્તા લેખક સતત બે જિંદગી સમાંતરે જીવતો હોય છે. જેમ કુશળ ઓલરાઉન્ડરના હાથમાંનું બેટ કે બોલ એક ભૌતિક વસ્તુ ન રહેતા એના અંગનો એક હિસ્સો બની રહે છે, એ રીતે જ સતત વાર્તા વિશે વિચારતા રહેવું એ લેખક માટે શ્વાસ લેવા જેવી પ્રક્રિયા બની જાય છે. એ કોઈ પાર્ટીમાં ઔપચારિક વાતો કરતો હોય ત્યારે પણ એના મગજના કોઈ ખૂણે વાર્તા પનપતી હોય છે.
બત્રીસ જાતનાં પકવાન અને છત્રીસ જાતનાં ફરસાણ વિશે વાતો ગમે એટલી કરીએ પણ ભૂખ ભાંગશે? સ્વાદ આવશે? પોષણ મળશે? ના.. એ માટે પકવાન આરોગવા પડે. 'વારતા'નું પણ એવું જ છે. માણસ વાર્તા કહેતો અને વાર્તા સાંભળીને હોંકારા ભણતો ક્યારથી થયો હશે?
માઇક્રોફિક્શનનો અંત જ તેને લઘુકથાથી અલગ પાડે છે, પણ ઘણાં ખરા લેખકો અંતને ચોટદાર કે રહસ્યમય બનાવવાના પ્રયાસમાં પરાણે વાર્તાને અંતે અસહજ ચમત્કૃતી આપે છે.
વાર્તા વાંચવા બેસીએ ત્યારે સૌથી પહેલા તો વાચકની માનસિક સ્થિતિ સૌથી અગત્યની છે. વાંચન એ સંપૂર્ણપણે એક માનસિક ખેલ જ તો છે કારણ કે વાંચન દરમિયાનની પરિસ્થિતિ વિચારો તો સમગ્ર પરિસ્થિતિ કે પ્રક્રિયામાં એક પુસ્તક છે, જે નિર્જીવ છે અને એક વાચકનું શરીર છે જે લગભગ નહિવત હિલચાલ સાથે માત્ર એક માધ્યમ તરીકે વર્તે છે. તો આખી વાંચનની પ્રક્રિયામાં માત્ર એક મન જ છે જે જીવંત છે!
“ગાગરમાં સાગર કેમ ભરવો?” આ સવાલનો જવાબ હું સર્જન ગૃપ થકી શીખ્યો છું. ૨૦૧૩માં અક્ષરનાદ વેબસાઈટ થકી જીજ્ઞેશભાઈના સંપર્કમાં આવ્યો. અક્ષરનાદ પર ગુજરાતી સાહિત્યનો રસથાળ માણતાં માણતાં માઇક્રોફિક્શન નામની વાનગી ચાખી. માઇક્રોફિક્શન ગમવા લાગી. અને તે કારણસર જ અક્ષરનાદ આયોજિત પહેલી માઇક્રોફિક્શન સ્પર્ધામાં ભાગ લીધો. માઇક્રોફિક્શન લખવાની મજા આવતી ગઈ. જીજ્ઞેશભાઈએ માઇક્રોફિક્શનમાં રસ ધરાવતાં મિત્રોનું એક ગૃપ શરુ કર્યું. હું પણ હોંશે હોંશે આ ગૃપમાં જોડાયો. છ શબ્દોની વાર્તાથી લઈને થીમ અને પ્રોમ્પ્ટ અનુસાર વાર્તાઓ લખવાનું શરુ કર્યું. આ ગૃપમાં મારા જેવા નવોદિત સીવાય ગદ્ય-પદ્ય જગતના દિગ્ગજ પણ સામેલ હતાં.
‘શબ્દાવકાશ’ ગ્રુપમાં સાથે લખતા મિત્ર નિમિષ વોરાએ લગભગ અઢી વર્ષ પહેલા કહ્યું હતું કે, ‘જાહ્નવીબહેન તમે ‘સર્જન’ વોટ્સએપ ગ્રુપમાં જોડાવ તમને મજા આવશે. અક્ષરનાદવાળા જીજ્ઞેશભાઈ અધ્યારુનો નંબર આપું છું. મેસેજ કરો તમને એડ કરશે.’ મને થયું કે ક્યાં એક વધુ જંજાળમાં ફસાઉં. અત્યાર સુધી કથાકડી અને શબ્દાવકાશ ગ્રુપમાં લખ્યું એ વંચાયું પરંતુ એથી કંઈ લેખક નથી બની જતા. હું એક નખશીખ વાચક છું અને એજ બની રહેવા માંગું છું. પણ પછી, નવરા બેસવું ઓછુ ગમે, ઘર અને જવાબદારીઓમાં અટવાયેલી મને, એક દિવસ થયું કે લાવને જોઉં તો ખરી, કેવું ગ્રુપ છે! જીજ્ઞેશભાઈને મેસેજ તો કરવા દે, મારે ક્યાં લેખક થવું છે. ગ્રુપમાં એડ કરશે તો કંઈક નવું જાણવા શીખવા મળશે એ હેતુથી મેસેજ કર્યો. અને એમણે એડ કરી ગ્રુપમાં.
જોતજોતામાં તો 'સર્જન'માં જોડાયાને લગભગ બે વર્ષ જેવો સમય પસાર થઈ ગયો. ખરું કહું તો અહીં જોડાયા પછી મારાં મૌલિક લેખનને એક સાચી દિશા મળી છે. આમ જોઈએ તો આ ગ્રુપ માઈક્રોફિક્શન સ્ટોરીનું. પણ માઈક્રો- ફિક્શન સ્ટોરી ઉપરાંત તેમાં ઉત્તમ સાહિત્ય, સાહિત્યના વિવિધ પ્રકાર, સાહિત્યક્ષેત્રે વિશ્વમાં ચાલી રહેલ પ્રવાહ, સાહિત્ય સ્પર્ધાઓ, સોશ્યલ મીડિયા અને સાહિત્ય વિગેરે અનેક બાબતોની ચર્ચાઓ થતી રહે છે જેથી સૌના જ્ઞાનમાં વધારો થતો રહે છે. અહીં જોડાયા પહેલા એવું સાંભળવામાં આવતું કે અત્યારે લોકોમાં વાંચન ઓછું થતું જાય છે, સાહિત્યનું ખેડાણ ઓછું થતું જાય છે, સાચી જોડણી પ્રત્યે નવી પેઢી ગંભીર નથી અને આ બધાંથી આપણી લાડલી ગુજરાતી માતૃભાષા ધીમે ધીમે મૃતપાય થતી જાય છે... આવું તો ઘણું બધું.
અધ્યાહાર – શું છે આ અધ્યાહાર? કેટલાંક લોકો માને છે કે અધ્યાહાર એટલે અડધો આહાર! વાચકને અડધો જ આહાર આપવાનો! પણ શું ખરેખર આને જ અધ્યાહાર કહેવાય? વિવિધ લેખકો અને તજજ્ઞો પોતપોતાની રીતે આનો અર્થ કાઢતાં હશે. જો કે હું કોઈ તજજ્ઞ નથી કે અહીં સંપૂર્ણપણે સાચો જ હોવાનો મારો કોઈ દાવો પણ નથી. પણ વાર્તાઓમાં જોવા મળતાં અધ્યાહાર વિશે મારી પોતાની જે કંઈ પણ સમજ છે એ અહીં વિગતે રજૂ કરવા માંગુ છું. અધ્યાહાર, કે જેને અંગ્રેજીમાં ઇલીપ્સીસ (ellipsis) કહેવામાં આવે છે એ કોઈ પણ વાર્તાનું એક મહત્વનું અંગ છે. ખાસ કરીને વાર્તા જેટલી ટૂંકી એટલું અધ્યાહારનું મહત્વ વધારે. આ કારણે જ ટૂંકી વાર્તાઓ, લઘુકથાઓ, માઇક્રોફિક્શન જેવાં વાર્તાપ્રકારોમાં અધ્યાહારનું મહત્વ અનેકગણું વધી જાય છે.
૨૦૧૨ની સાલમાં ઝેન ગુરુ રુથ ઓઝીકીને વાંચવાનું સદભાગ્ય મળ્યું હતું.. અને ત્યારે પહેલો પરિચય થયો હતો ઝેન ડ્રેબલ્સનો.. ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની રીત સ્પર્શી ગઇ. ૨૦૧૨ના સપ્ટેમ્બર મહિનામાં પહેલ-વહેલો પ્રયત્ન કર્યો ગુજરાતી ભાષામાં આવી સાવ ઓછા શબ્દોમાં વાર્તા લખવાનો.. કંઇક મજા પડી એટલે પરમ મિત્ર અને માર્ગદર્શક જીજ્ઞેશ અધ્યારૂને તાત્કાલિક ઇ-મેઇલ અને ચાતક નજરે પ્રતિભાવોની રાહ જોવા લાગ્યો.. સાંજે તેમનો ફોન આવ્યો “સરસ.. મજા પડી હાર્દિકભાઇ.. અક્ષરનાદ ઉપર લઉં છું.” બસ ત્યારથી અત્યાર સુધીમાં ૮ ભાગમાં ૧૧૦ માઈક્રોફિક્શન.. અનેકોએ માણી.. આ સમય ગાળામાં વાર્તાના આ પ્રકારને અનેકાનેક અદ્દભૂત લેખકો મળ્યા.. અક્ષરનાદ તરફથી યોજાયેલ માઈક્રોફિક્શન વાર્તા સ્પર્ધાનો જજ બનીને જ્યારે સ્પર્ધકોની વાર્તા વાંચતો ગયો ત્યારે મનમાં થયું કે શું તાકાત છે આ માઈક્રોફિક્શનના જગતની..
આપણી વાંચવાની ટેવ, સર્જનના પ્રકારો અને સાહિત્ય - એ બધુંય એકસાથે ટેકનોલોજીના પ્રભાવ હેઠળ સતત બદલાઈ રહ્યું છે, આપણને જાણ હોય કે ન હોય પણ છેલ્લા પંદર વર્ષમાં ઈ-પુસ્તકો, વેબસાઈટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયાએ આપણી વાંચનની ટેવમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે, અને એને લીધે લેખનની પ્રક્રિયા પણ ચોક્કસ બદલાવાની જ, સાહિત્યપ્રકારો અને સાહિત્ય સર્જનના માળખામાં પરિવર્તન અવશ્યંભાવી છે.. સર્જનના બદલાવની આ પ્રક્રિયામાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વાર્તા પ્રકાર છે ફ્લેશ ફિક્શન કે માઈક્રોફિક્શન.
માઈક્રોફિક્શન વાર્તાઓથી શોર્ટ ફિલ્મ તરફ.. કર્મે અભિનેતા હોવાના નાતે શબ્દો સાથે મારો બહુ જૂનો નાતો, અને આ શબ્દોથી સર્જાતા કવિતા, ગઝલ, વાર્તા, ટૂંકી વાર્તા, નવલિકા, નવલકથા, નિબંધ, પ્રવાસ વર્ણન જેવા વિવિધ સર્જનો મેં મનભરીને વાંચ્યા. પણ મારી આ વાચનયાત્રામાં અક્ષરનાદ નામના આ મુકામે એક કમાલનો વળાંક આવ્યો અને હું આવી […]