એક વખત હતો. જસુફૈબાની જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાતી.
પણ હવે..
દેવી અને વિલિયમ વચ્ચે સમાધાન થઈ જતા ડાયવોર્સનો કેસ પાછો ખેંચી લઈ બન્ને કિસનને લઈને ન્યુયોર્ક ચાલ્યા ગયાં હતાં. બસ પછીથી જસુફૈબા જન્માષ્ટમીએ રાત પડે એટલે બાલ્કનીમાં આવીને બેસે છે. આકાશમાં જોયા કરે છે. બાર વાગ્યા પછી ઘરમાં પાછા ફરે છે.
“લોકો ય ખરાં છે, કિસન વિનાની જન્માષ્ટમી ઉજવે છે!”