અને વર્ષોથી આક્રંદ કરતી એની વેદનાએ જ્યારે ચરમસીમા પાર કરી એ દિવસે એનું અટ્ટહાસ્ય આખા ઘરમાં ગુંજી ઊઠ્યું હતું.
હવે એની સૂની સૂની આંખો જોઈ શરદનું હૈયું ચિત્કાર કરતું ને પસ્તાવાથી આંખો છલકાઈ ઊઠતી. પણ, એ હવે હાસ્ય, રુદન, વેદના, વ્યથા જેવી અનુભૂતિથી ખૂબ દૂર નિજાનંદની દુનિયામાં ચાલી ગઈ હતી.