બત્રીસ જાતનાં પકવાન અને છત્રીસ જાતનાં ફરસાણ વિશે વાતો ગમે એટલી કરીએ પણ ભૂખ ભાંગશે? સ્વાદ આવશે? પોષણ મળશે?
ના.. એ માટે પકવાન આરોગવા પડે.
'વારતા'નું પણ એવું જ છે.
માણસ વાર્તા કહેતો અને વાર્તા સાંભળીને હોંકારા ભણતો ક્યારથી થયો હશે?
માઇક્રોફિક્શનનો અંત જ તેને લઘુકથાથી અલગ પાડે છે, પણ ઘણાં ખરા લેખકો અંતને ચોટદાર કે રહસ્યમય બનાવવાના પ્રયાસમાં પરાણે વાર્તાને અંતે અસહજ ચમત્કૃતી આપે છે.