અગ્નિદાહ – ધર્મેશ ગાંધી
રોજ સવાર થાય ને દેવ નીકળી પડતો. સ્મશાનના મેઈન ગેટ પાસે આવીને ઉભડક બેસી જતો. આવતા-જતાનું નિરીક્ષણ કરતો રહેતો.
અહીં રોજ કોઈક ને કોઈક મૃતદેહ લવાતો. મૃત શરીર પર અત્તર છંટાતુ ને એને સુખડના હારથી શણગારાતો. ધાર્મિક વિધિઓ થતી, પછી બધાં સગાં-સ્નેહીઓ વલોપાત કરતાં કરતાં એને અગ્નિદાહ દઇ દેતા!
મૃતદેહને સળગતો મૂકી, કોઇક પોતાના મોબાઇલમાં ડૂબી જતું, કોઇક પત્તા રમવામાં મશગૂલ થતું, કોઇક રાજકારણની ચર્ચાએ ચઢતું, તો કોઇક મરનારના ગુણ-અવગુણનું વિશ્લેષણ કરતું.
દેવ આ બધું અપલક નજરે નિહાળતો રહેતો, અને વિચારતો… “મારી સાથે પણ કંઇક આમ જ બન્યું હશે !”