ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

વિચારને પણ એક આયુષ્ય હોય છે

વિચાર – જીજ્ઞેશ અધ્યારૂ

 

“વિચારને પણ એક આયુષ્ય હોય છે, તું એને માન નહીં આપે તો એ બીજે ક્યાંક અવતરશે…” ગુરુ અવનીશ શિષ્યોને કહી રહ્યા.

શિખાએ વિચાર્યું, હવે દીક્ષા લઈ જ લેવી જોઈએ, શંકાનો કોઈ છેડો નથી…

મનને વિચાર્યું, આજે શિખાને પૂછી જ લઉં, એ કહે તો આ કંઠીથી છૂટકારો લઈ લઈશ…

અને શરદ વિચારી રહ્યો, આને નવો વિચાર આવે એ પહેલા… આ જ સમય છે, ડોઝ વધારવો પડશે…

અને ત્યારે જ કેટલાક વિચારોનું આયુષ્ય પૂર્ણ થયું.

Leave a comment

Your email address will not be published.